તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા.

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો
તાપી જિલ્લો, જે ગુજરાત રાજ્યમાં આવેલ છે, તેની સ્થાપના 2 ઓક્ટોબર, 2007 ના રોજ થઈ હતી. આ જિલ્લાનો મુખ્ય મથક વ્યારા છે. તાપી જિલ્લો પ્રાચીનકાળમાં દુર્ગમ વિસ્તારો અને જંગલોથી ભરપૂર હતો.
જિલ્લો તાપી નદીના નામ પરથી ઓળખાય છે, જે આ વિસ્તારમાંથી વહે છે. તાપી નદીની ખીણો અને ગીચ જંગલો આ વિસ્તારમાં વસવાટ કરનારા આદિવાસી સમાજના જીવન સાથે સંકળાયેલા છે. આ વિસ્તારનો ઇતિહાસ મુખ્યત્વે આદિવાસી સમાજ અને તેમના જીવન વિશે જાણવામાં આવે છે.
તાપી જિલ્લાનો ઇતિહાસ પણ મુઘલ શાસન સાથે સંકળાયેલ છે. મુઘલ શાસકો દ્વારા આ વિસ્તારના જંગલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન, આ વિસ્તારમાં અનેક દેશી રજવાડા અને મહેલો હતા, જે આજે પણ તેમના અસ્તિત્વના પુરાવા આપી રહ્યા છે.
આજે, તાપી જિલ્લો તેની કુદરતી સૌંદર્ય, ખનીજ સંપત્તિ, અને ખેતીવાડી ઉત્પાદન માટે જાણીતો છે.
અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે.
અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.
વાજપુરનો કિલ્લો
સોનગઢ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં પર્વત પર ગાયકવાડી શાસન સમયનો સોનગઢ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં માતાનું મંદિર આવેલું છે.
અહીં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિપ્રેમી લોકો માટે પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.
ડોસવાડા
ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલ છે.
આહવાથી નવાપુર જતાંં માર્ગ પર આવેલા વીરથવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે. એમાંથી મેળવાયેલ કુદરતી પીણું નીરો પીવાની ખૂબ જ મઝા પડે છે. અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ (આશરે ૧૧ કિલોમીટર) તેમજ ગિરમાળનો ગિરા ધોધ (૧૦ કિલોમીટર) ખૂબ નજીક આવેલાં સ્થળો છે.
ઉંચામાળા નજીક કાકરાપાર અણુશક્તિ મથક બાંધવામાં આવ્યું ત્યારથી આ ગામને અણુમાળા પણ કહેવાય છે. આ ગામ ખાતે અણુમથકના કર્મચારીઓના રહેવા માટેની વસાહત આવેલી છે.
સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના જગલ તરફ જતાંં રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.
ઉચ્છલ તાલુકાના જાંબલી ગામની નજીક ઉકાઇ બંધના જળાશયના નીચાણ વિસ્તારમાં આ કિલ્લો આવેલો છે. ઉનાળાના દિવસો દરમ્યાન પાણી ઓછું થતાંં આ કિલ્લો બહાર દેખાય છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંત તરફથી આવતા આક્રમણથી સોનગઢના ગાયકવાડી રાજ્યને બચાવવા કિલ્લાનું નિર્માણ થયુંં હતુંં.
સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.
ડોલવણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ કણધા અને વરજાખણ ગામ વચ્ચે આવેલો ડુંગર કાળાકાકર તરીકે પ્રખ્યાત છે. ડુંગર ઉપર વરસાદના દેવ વરુણ દેવનું મંદિર આવેલું છે.
થુટી ઉચ્છલ તાલુકામાં અને સોનગઢથી ૮ કિ.મી દૂર આવેલુ એક નાનકડુ ગામ છે. થુટી ગામ ઉકાઇ જળાશયનાં કિનારે આવેલુ છે અને આ સ્થળની પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાત લે છે.
Comments
Post a Comment