બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

Image
    બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના ...

હંમેશાં પાણીમાં ડૂબેલો રહેતો અને ભાગ્યે જ જોવા મળતો : સોનગઢનાં વાજપુરનો ગાયકવાડી કિલ્લો

 હંમેશાં પાણીમાં ડૂબેલો રહેતો અને ભાગ્યે  જ જોવા મળતો : સોનગઢનાં  વાજપુરનો ગાયકવાડી કિલ્લો

images courtesy: Wikipedia 

સોનગઢનો ગાયકવાડી કિલ્લો

સોનગઢ કિલ્લો ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ ગાયકવાડી કિલ્લો છે. કિલ્લો એ સોનગઢ તાલુકાના મુખ્ય મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડ દ્વારા સુરત-ધુલિયા રોડની બાજુમાં ઊંચી ટેકરી પર બાંધવામાં આવેલો પ્રાચીન કિલ્લો છે, જે ઈ.સ. 1729 થી ગાયકવાડો મુખ્ય સ્ટેશન હતું. આ કિલ્લો 112 મીટરની ઉંચાઈ પર આવેલો છે. સોનગઢ તાલુકાનો વાજપુર કે જામલીનો કિલ્લો પાણીમાં ડૂબી રહે છે

આ કિલ્લા પર અંબાજી માતાનું મંદિર પણ આવેલું છે. અંબાજી માતાના દર્શન કરવા માટે ભોંયરામાં થઈને પ્રવેશવું પડે છે. આ ઉપરાંત અહીં સ્થિત ખંડેરાવ મહારાજનું મંદિર પણ જોવાલાયક છે. અહીં બે જળાશયો અને એક તળાવ છે. આ કિલ્લાની તળેટીમાં નીચે આવેલા જૂના મહેલના અવશેષો પણ જોવાલાયક છે. ગુજરાતી લેખક અને વિવેચક સુરેશ જોષીએ તેમના જનન્તિકે નામના નિબંધ સંગ્રહમાં સોનગઢના કિલ્લા અને તેની પ્રાકૃતિક સુંદરતાનું સચિત્ર વર્ણન આપ્યું છે.

જ્યારે ગાયકવાડ વંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો પણ બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઈ ડેમના પાણીમાં ડૂબી જાય છે અને ક્યારેક ક્યારેક જ દેખાય છે. જ્યારે ઉકાઈ ડેમની જળ સપાટી 283 ફૂટે પહોંચે છે ત્યારે આ કિલ્લાનો ઉપરનો ભાગ જોઈ શકાય છે. સોનગઢ કિલ્લાની ટોચ પર પહોંચવા માટે વાઇન્ડીંગ રોડ છે. કિલ્લાની ટોચ પર મહાકાલી માતાનું મંદિર અને દરગાહ સહિતના ધાર્મિક સ્થળો આવેલા છે. દશેરાના તહેવાર નિમિત્તે અહીં મોટો મેળો ભરાય છે.

સોનગઢના વાજપુર કિલ્લા વિશે અહીં કેટલીક હકીકતો છે 

- સ્થાન: વાજપુર, સોનગઢ તાલુકા, તાપી જિલ્લો, ગુજરાત

- જામલી ફોર્ટ તરીકે પણ ઓળખાય છે

- મોટે ભાગે આખા વર્ષ દરમિયાન પાણીમાં ડૂબી જાય છે

- માત્ર પ્રસંગોપાત દૃશ્યમાન

- સુરતથી અંતર: 86 કિલોમીટર

- અન્ય નજીકના આકર્ષણો: સોનગઢ કિલ્લો, સ્વર્ણિમ તાપી વન, પરશુરામ મંદિર, રોકડિયા હનુમાન મંદિર, ઉકાઈ ડેમ, હિન્દુસ્તાન બ્રિજ, ડોસવડા ડેમ-રાણી મહેલ, ગૌમુખ, ચિમેર ધોધ અને BAPS સ્વામિનારાયણ મંદિર

Comments

Popular posts from this blog

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ