બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

Image
    બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના ...

માંડવી ખાતે તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે: આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ

માંડવી ખાતે તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે: આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે માંડવી ખાતે બેઠક યોજાઇ

આગામી તા. ૦૯મી ઓગષ્ટના રોજ યોજાનારા વિશ્વ આદિવાસી દિનની માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે એમ રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું. 

     માંડવી તા.પંચાયતના સભાખંડમાં આગામી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આગોતરા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં તા. ૦૯મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા પણ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવા માટે રાજયમાં આદિજાતિ સમાજની વચ્ચે જઇને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સામેલ થનારા આદિજાતિ સમાજના લોકોને કોઇ મુશ્કેલી ન પડે એ પ્રકારની સુવિધાઓ કરવા માટે મંત્રીએ વહીવટીતંત્રને સૂચના આપી હતી. 

        માંડવી ખાતે યોજાનારા કાર્યક્રમ અંગેનું સ્થળ નકકી કરવા તથા નિયત સ્થળે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે અધિકારીઓ અને પદાધિકારી પરસ્પર સંકલનમાં રહી તૈયારી કરે એવી અપેક્ષા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. 


           તેમણે કાર્યક્રમના સ્થળે સભામંડપ, બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી ખાસ કરીને કાર્યક્રમમાં સહભાગી થનારા આદિવાસી સમાજના લોકો કે જેઓ પોતાના વાહનો લઇને આવશે તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા તેમણે પોલીસ વિભાગને સૂચના આપી હતી. 

         વધુમાં તેમણે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવા માટે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. 

        બેઠકનું સંચાલન અને આભારવિધિ માંડવીના પ્રાંત અધિકારી કૌશિકભાઇ જાદવે કરી હતી. બેઠકમાં પ્રયોજના વહીવટદાર, સુરતના નાયબ વન સંરક્ષક આનંદકુમાર, તાપીના નાયબ વન સંરક્ષક પુનિત નૈય્યર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતના નિયામક એમ.બી.પ્રજાપતિ, તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર, વ્યારા પ્રાંત મિતેશભાઇ પટેલ, તાપીના નાયબ પોલીસ અધિક્ષક પી.જી.નરવાડે, માંડવીના નાયબ પોલીસ અધિક્ષક, તા. વિકાસ અધિકારી માંડવી, સોનગઢ મામલતદાર નલિનીબેન, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, માંડવી તાલુકાના સરપંચો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ